Online Form
1. Application Form for Applying in Hostel - Navsari
Download
- ૧. છાત્રાલયમાં રહેનાર દરેક વિદ્યાર્થીને સંસ્થાએ નક્કી કરેલ છાત્રાલયના આંતરિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- ૨. વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં સદાચાર, શિસ્ત અને શિષ્ટાચારભર્યું આચરણ સંસ્થાના વ્યવસ્થાપકો અને જવાબદાર વ્યક્તિ સાથે રાખવું.
- ૩. વિદ્યાર્થીને આપવામાં આવેલ ઓરડો, પલંગ સિવાય અન્ય વિદ્યાર્થીના ઓરડામાં જવું નહીં. દરેક વિદ્યાર્થીએ પોતાના રૂમની સાફ-સફાઈ રાખવી. છાત્રાલયને સ્વચ્છ અને સુઘડ રાખવું વિદ્યાર્થીઓની નૈતિક ફરજ છે.
- ૪. દરેક વિદ્યાર્થીએ પોતે પોતાના સામાનની તેમજ સંસ્થાએ વાપરવા આપેલ પુસ્તકો/સામાનની જાળવણી સાચવવાની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહે છે, અને સંસ્થા છોડતી વખતે સંસ્થાને અસલ સ્વરૂપમાં સુપ્રત કરવાની રહે છે, અને નુકસાન પામેલ જે તે વસ્તુની પૂરેપૂરી કિંમત વસુલ કરવામાં આવશે.
- ૫. છાત્રાલયની કે અન્ય વિદ્યાર્થીની કોઈ પણ વસ્તુ સંબંધિત વ્યકિતની પરવાનગી સિવાય લેવી કે વાપરવી નહી. આવી બાબતોની ફરિયાદ વ્યવ્સ્થપકોને મળશે તો તેઓ યોગ્ય પગલાં ભરવાની સત્તા અબાધિત રાખે છે.
- ૬. વિદ્યાર્થીને ફાળવવામાં આવેલાં ઓરડામાં પરવાનગી સિવાય અન્ય વ્યકિત લાવી શકાશે નહી, કે રાખી શકાશે નહી.
- ૭. છાત્રાલયમાં છાત્રાલયનાં વિદ્યાર્થીને મળવા આવનાર પિતા/વાલી કે સ્નેહીઓને સંજોગોવસાત રહેવું, કે જમવું હોય તો જવાબદાર વ્યકિતની પહેલેથી પરવાનગી મેળવી રાખી શકાશે.
- ૮. છાત્રાલયમાં રહેનાર દરેક વિદ્યાર્થીએ અભ્યાસ સિવાયની અન્ય વિદ્યાર્થીને અભ્યાસમાં ખલેલ ઊપજાવે તેવું વર્તન કરવું નહી. ઉપરાંત વિદ્યાર્થીઓમાં જુથબંધી કરવી નહીં.
- ૯. છાત્રાલયમાં રહેનાર દરેક વિદ્યાર્થીએ રાજકીય પ્રવૃત્તિ કરવી નહી. કોલેજ/શાળાની ઈતર પ્રવૃત્તિ (જેવી કે શાળા/કોલેજોની ચૂંટણી, સભા, મિટિંગ વગેરે) છાત્રાલયમાં કરવી નહીં. આવી પ્રવૃતિની વ્યવસ્થાપકોને જાણ થતાં સંબંધિત વિદ્યાર્થીને છાત્રાલયમાંથી તરત જ છૂટાં કરવામાં આવશે.
- ૧૦. જોખમકારક સાધનોના સંસર્ગ નિપજેલા પરિણામો વિદ્યાર્થીને તરણકુંડ કે એવી અન્ય સાહસિક પ્રવૃત્તિથી નિપજેલા પરિણામો અને છાત્રાલયમાં નિમાયેલા જવાબદાર વ્યક્તિને હકીકતની જાણ કરી મંજુરી મેળવ્યા સિવાય થયેલા કોઈ પણ કૃત્યના પરિણામ માટે જે તે વાલી વિદ્યાર્થી જવાબદાર રહેશે.
- ૧૧. છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત સંસ્થાના મંત્રીને લેખિત કરવી અને તે અંગેનો નિર્ણય સંસ્થાના વ્યવસ્થાપકો કરશે.
- ૧૨. સમયાનુંસારે વ્ય્વસ્થાપકો ઉપરોક્ત નિયમોમાં ફેરફાર કરવાની સત્તા અબાધિત રાખે છે, અને ફેરફાર થયેલા નિયમોનો અમલ જે તે સમયના વિદ્યાર્થીઓએ કરવાનો રહેશે.
- ૧૩. વિદ્યાર્થીએ પૂરેપૂરી ભોજન ફી દાખલ થતી વખતે જ આપવાની રહેશે.
- ૧૪. પોતાના અંગત સ્નેહી સિવાય અન્ય કોઈને સંસ્થામાં મુલાકાત માટે દાખલ કરવામાં આવશે નહી. આ અંગે પૂર્વ મંજૂરી ઓફિસમાંથી મેળવવાની રહેશે.
- ૧૫. છાત્રાલયમાં કાર્યાલય તરફથી જે રૂમની ફાળવણી થઈ હોય તે પ્રમાણે જ રહેવું.
- ૧૬. ભોજનનો સમય સંસ્થા તરફથી નકકી કરવામાં આવે તે પ્રમાણે રહેશે. વિદ્યાર્થીએ તે પ્રમાણે જ ભોજન લેવાનું રહેશે.અનિવાર્ય સંજોગોમાં સંસ્થામાં રજૂઆત કરવી.
- ૧૭. જે વિદ્યાર્થીઓ ભોજનના સમયે ભોજન લઈ શકે તેમ ન હોય તેમણે ટીફીન મુકવાના રહેશે. ટીફીન નહી મુકશે તો ભોજનની જવાબદારી સંસ્થાની રહેશે નહી.
- ૧૮. પ્રાઈમસ, ઈસ્ત્રી, રેડિયો જેવા સાધનો પોતાના રૂમમાં રાખી શકાશે નહી.
- ૧૯. આશ્રમમાં અપાતી ભોજનની કોઈપણ સામગ્રી પોતાના રૂમમાં લઈ જઈ શકાશે નહી.
- ૨૦. અન્ય સ્થળે એડમિશન મળ્યું હોય તે માટે મળેલ એડમિશનના દાખલા સાથે ભરેલી ફી પરત કરવા અરજી આપવી. ટ્રસ્ટી મંડળ તેનો આખરી નિકાલ કરશે.
- ૨૧. વિદ્યાર્થી / વિદ્યાર્થિનીના ચારિત્ર સંબંધે કોઈ ફરિયાદ મળશે તો વિના નોટીસે ખાતરી કરી તાત્કાલિક અસરથી આશ્રમમાંથી છુટા કરવાની ફરજ પડશે.
છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યા પછી છાત્રાલયમાં રહી પાળવાના નિયમો મેં વાંચી સમજ્યા છે અને આ નિયમોનું પાલન મારા પુત્ર/આશ્રિત પાસે ચુસ્તપણે કરવાની – કરાવવાની ખાતરી આપું છું, અગર તેમ કરવામાં મારો પુત્ર/આશ્રિત નિષ્ફળ જાય તો સંસ્થાના વ્ય્વસ્થાપકો જે કોઇ નિર્ણય કરશે તે હું શિરોમાન્ય કરીશ.
2. Application Form for Applying in Hostel - Vallabh Vidhya Nagar
Download
વિદ્યાર્થી / કન્યા છાત્રાલય વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીના નિયમો
(સંચાલક : શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી, શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી)
- ૧. હાલના વલસાડ અને સુરત જિલ્લામાં વસતા પ્રજાપતિ વિદ્યાર્થીને આ આશ્રમમાં પ્રવેશ આપવામાં આવશે. ઉપર મુજબ પ્રવેશ આપતા જો વધારેની જગ્યા ખાલી હશે તો ઉપરોક્ત ક્ષેત્ર બહારના પ્રજાપતિ અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીને પણ નિયામાધિન પ્રવેશ આપવામાં આવશે.
- ૨. આશ્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છનાર વિદ્યાર્થીને નિયત કરવામાં આવેલું અરજી-પત્રક નિયત તારીખ પહેલા મંત્રીશ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી, શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીને પહોંચાડવાનું રહેશે. પ્રવેશ માટેના અરજીપત્રક સાથે છેલ્લી પરીક્ષા પાસ કર્યાના પરિણામની સર્ટિફાઈડ નકલ અને કોલેજ બોનાફાઈડ અથવા કૉલેજનો પુરાવો અવશ્ય બીડવાના રહેશે. મુદત બહારના અને અધુરી વિગતવાળા અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહીં.
- ૩. કોઈ પણ પ્રવેશ અરજી પત્રક ઉપરનો અંતિમ નિર્ણય મંત્રીશ્રી / પ્રમુખશ્રી કરશે,અને તેમાં કોઈ તકરાર ચાલશે નહીં.
- ૪. પ્રવેશ મંજુર થયાની ખબર મોકલ્યાની તારીખથી દશ દિવસની અંદર પ્રવેશ ફી , સત્ર ફી તથા અનામતની રકમ મંત્રી – શ્રી વિદ્યાફંડ વયસ્થાપક કમિટી- નવસારીને પૂરેપૂરી આપવાની રહેશે. પ્રવેશ મંજુર થયો હોય અને વિદ્યાર્થી જો આશ્રમમાં દાખલ થશે નહીં તો પ્રવેશ ફી પરત મળશે નહી.
- ૫. છાત્રાલયમાં દાખલ થતા પહેલા વિદ્યાર્થીએ નિયત કરેલ ફી જમા કરાવવાની રહેશે. સત્રનો ૧૫ મી જૂન થી ૧૪ મી જૂન સુધી ગણાશે. પ્રવેશની મુદત ફક્ત એક શૈક્ષણિક વર્ષ પુરતી જ રહેશે. દર વર્ષે પ્રવેશ માટે નવેસરથી અરજી કરવાની રહેશે.
- ૬. સત્રની વચ્ચે આશ્રમ છોડી જનાર વિદ્યાર્થીને કોઈ પણ ફી નું રિફંડ મળી શકશે નહી.
- ૭. દરેક ઓરડામાં ત્રણ વિદ્યાર્થીઓને રાખવામાં આવશે.
- ૮. આશ્રમમાં દાખલ થનાર વિદ્યાર્થીને અનુકૂળતા મુજબ એક પલંગ (ગાદલું, ઓશીકું, સહિત) એક ટેબલ, એક ખુરશી તથા વોલ કબાટ આશ્રમ તરફથી વાપરવા માટે આપવામાં આવશે. તેને સાચવવાની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. એ સિવાયની જરૂરિયાતના અન્ય સાધનો વિદ્યાર્થીએ પોતે લાવવાના રહેશે.પલંગ પર પાથરવાની ચાદર સંસ્થા તરફથી વિદ્યાર્થીના ખર્ચે આપવામાં આવશે અને તે જ વાપરવાની રહેશે.
- ૯. આશ્રમની માલિકીની કોઈ પણ મિલકત કે સાધનોને નુકસાન કરનાર વિદ્યાર્થી પાસેથી તેણે ભરેલી ડિપોઝિટ રકમમાંથી નુકસાની કાપી લેવામાં આવશે. ડિપોઝિટની રકમથી નુકસાની વધારે થતી હશે તો તે વિદ્યાર્થીએ અગર તેના વાલીએ તરત ભરપાઈ કરવાની રહેશે.
- ૧૦. આશ્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પોતાના જોખમે આશ્રમમાં રહેશે. બિમારી, અકસ્માત કે અણધારી આફત માટે સંસ્થા કે સંચાલકો કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહી.
- ૧૧. વિદ્યાર્થીએ ભોજનની વ્યવસ્થા પોતે કરી લેવાની છે.
- ૧૨. સવાર સાંજની પ્રાર્થના, આશ્રમમાં જવા આવવાનો સમય, સફાઈકામ વિગેરે તથા અન્ય આંતરિક વ્યવસ્થા માટે સંચાલકો કે ગૃહપતિ તરફથી વખતોવખત કરવામાં આવનાર નિયમો અને સૂચનોનું પાલન કરવાનું દરેક વિદ્યાર્થીને બંધનકારક છે. નિયમોનું પાલન ન કરનાર વિદ્યાર્થી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
- ૧૩. કોઈ પણ વ્યકતિને વિદ્યાર્થી પોતાની રૂમમાં લાવી શકશે નહી. પોતાના વાલી કે અંગત સગાં સંબંધી મળવા આવ્યા હોય તો તે ખબર ગૃહપતિને તરત કરવાની રહેશે અને ભોંય તળિયે આવેલ મુલાકાતીની જગ્યામાં જ મુલાકાત કરવી.
- ૧૪. સત્ર પુરૂ થયે પોતાને આશ્રમ તરફથી મળેલ સાધનો ગૃહપતિને પરત કરવાનાં રહેશે.
- ૧૫. વિદ્યાર્થીના રૂમ તથા સામાન ગૃહપતિ કોઈપણ સમયે તપાસી શકશે.
- ૧૬. માદક પદાર્થોનું સેવન કરનાર, ચેપી રોગવાળા કે ધુમ્રપાનની આદતવાળા વિદ્યાર્થીને આશ્રમમાં પ્રવેશ મળી શકશે નહિ, દાખલ થયા બાદ ઉપરના પૈકી કોઈપણ કુટેવ કે ખામી માલૂમ પડશે તો આશ્રમમાંથી બરતરફ થવા પાત્ર ગણાશે.
- ૧૭. યુનિવર્સિટી કે કોલેજોની નિયમિત રજા સિવાય બહારગામ જવાની પરવાનગી માટે વિદ્યાર્થીએ પોતાના વાલીના હસ્તાક્ષરની અરજી કારણોસહિત ગૃપતિને આપવાની રહેશે.
- ૧૮. વિદ્યાર્થીઓએ પોતાના રૂમ સ્વરછ અને સુવ્યવસ્થિત રાખવાના રહેશે. કચરો અને નકામી ચીજો નિયત જગ્યાએ કચરા પેટીમાં નાખવાં.
- ૧૯. વિદ્યાર્થીઓએ પરસ્પર ભાતૃભાવે વર્તવાનું છે. આશ્રમના ગૃહપતિ તથા મુલાકાતે આવનાર કોઈપણ વાલી / અતિથિઓ જોડે વિનય અને સદ્ભાવથી વર્તવાનું છે.
- ૨૦. આશ્રમના નોકર પાસે કોઈપણ વિદ્યાર્થી પોતાનું ખાનગી કામ કરાવી શકશે નહી.
- ૨૧. આ નિયમોમાં સુધારો વધારો કરવાની સત્તા “શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી- નવસારી” ને છે. નિયમોના બદલ અને સંચાલકોના નિર્ણય છેવટનો અને બંધનકારક ગણાશે.
છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યા પછી છાત્રાલયમાં રહી પાળવાના નિયમો મેં વાંચી સમજ્યા છે અને આ નિયમોનું પાલન મારા પુત્ર/આશ્રિત પાસે ચુસ્તપણે કરવાની – કરાવવાની ખાતરી આપું છું, અગર તેમ કરવામાં મારો પુત્ર/આશ્રિત નિષ્ફળ જાય તો સંસ્થાના વ્ય્વસ્થાપકો જે કોઇ નિર્ણય કરશે તે હું શિરોમાન્ય કરીશ.